Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

બીનખેતી મુદ્દે સરકાર મહત્વનો નિર્ણય કરશે જેમની ફાઈલો દફતરે લેવાઈ તે લોકો નવેસરથી અરજી કરી શકશેઃ પ્રભારી મંત્રીને પણ રજૂઆત

રાજકોટમાં કલેકટર તંત્રે કડક નિર્ણય લઈ બીનખેતીની ૧૨૫ ફાઈલો દફતરે કરીઃ આ બાબતે રેવન્યુ બાર એસો. બીલ્ડર લોબીએ ગાંધીનગરમાં રજૂઆતો કરીઃ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલે પ્રભારી મંત્રી સુધી પણ વાતો પહોંચાડીઃ દરમિયાન આ બાબતે સરકાર અત્યંત ટૂંકા સમયમાં મહત્વનો નિર્ણય કરવા જઈ રહ્યાનું ટોચના અધિકારી સૂત્રો ઉમેરી રહ્યા છેઃ જેમની ફાઈલો દફતરે લેવાઈ તેમને પૂર્તતા માટે અથવા તો નવેસરથી અરજી કરે તેવા આદેશો થઈ રહ્યાનું સૂત્રો ઉમેરે છેઃ ધારાસભ્ય દ્વારા ઓનલાઈન બાબત છે, ગાંધીનગરથી મંજુરી અપાય છે,   તો પછી રાજકોટના તંત્રે દફતરે લીધી તે બાબતે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીને રજૂઆતો કર્યાનું બહાર આવ્યુ છે

(4:21 pm IST)