Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

એકલવાયા જીવન અને દેણાથી કંટાળી જઇ ગાંધીગ્રામના જીતેન્દ્રભાઇ ચોૈહાણે જીવ દીધો

રાજકોટ તા. ૨૫: ગાંધીગ્રામ અક્ષરનગરમાં રહેતાં રિક્ષાચાલક જીતેન્દ્રભાઇ ગોવિંદભાઇ ચોૈહાણ (ઉ.૫૦) નામના રજપૂત પ્રોૈઢે ગઇકાલે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

જીતેન્દ્રભાઇને સંતાનમાં બે પુત્રી છે. જેમાં એકના લગ્ન થઇ ગયા છે. જીતેન્દ્રભાઇના પત્નિ સરોજબેનનું વર્ષો પહેલા અવસાન થઇ ગયું છે.  તેણે થોડા સમય પહેલા કોઇ પાસેથી રૂ. ૩૦ હજાર ઉછીના લીધા હતાં. હાલમાં ધંધો ચાલતો ન હોઇ દેણાની ચિંતામાં અને એકલવાયા જીવનથી કંટાળીને આ પગલું ભરી લીધાનું તેના પરિવારજને જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા અને રાજદિપસિંહે ગાંધીગ્રામમાં જાણ કરતાં હેડકોન્સ. જીતેન્દ્રભાઇ બાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:01 pm IST)