Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થયો છે. આજથી દેરાવાસી સમાજ અને કાલથી સ્‍થાનકવાસી જૈનો ભક્તિમાં લીન થશે. પર્યુષણ પર્વ દરમિયાન જૈનો દેરાસરો-ઉપાશ્રયોમાં ધર્મ આરાધના કરે છે, પૂ. સંત-સતીજીઓના મુખેથી પ્રવચન સાંભળે છે, પ્રતિક્રમણ કરી સર્વે જીવોને ખમાવે છે, માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્‍વપ્નની ભવ્‍ય ઉજવણી કરે છે. સંવત્સરી પર્વે સર્વ જીવોને ક્ષમાયાચના માંગી પાપ કર્મોનો નાશ કરે છે. ઉપરોક્ત તસવીરોમાં રાજકોટના જાગનાથ દેરાસર, મણીયાર દેરાસર ખાતે પૂજા કરતા ભાવિકો તથા પ્રવચનનો લાભ લેતા શ્રાવીકાઓ નજરે પડે છે. (તસવીરઃ સંદિપ બગથરીયા)

(2:14 pm IST)