Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

રાજકોટના લોકમેળા માંથી ૬૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટઃ શહેરનાં ના રેસકોર્ષ મેદાનમાં આવતીકાલ તા.૨૬ સુધી આયોજીત મલ્હાર લોકમેળામાં મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય વિભાગ દ્વારા આજે સવારે ખાણી પીણીનાં ૪૭ સ્ટોલની ચકાસણી હાથ ધરી હતી. આ ચેકીંગ દરમિયાન બ્રેડ, ટમેટો તથા ખુલ્લા ફળ, બાફેલા બટેટા  સહિત અંદાજીત ૬૮  કિલો અખાદ્ય ખોરાક મળી આવતા તેમનો નાશ કર્યો હતો અને ૨૯ વેપારીઓને નોટીસ પાઠવામાં આવી હતી.

(5:54 pm IST)