Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મ.ન.પા.માં ડો.આંબેડકરજીનું તૈલી ચિત્ર મુકવાની માંગ સાથે કોંગ્રેસના ઉપવાસ : પૂર્વ વિપક્ષીનેતા સહિતનાં આગેવાનોની અટકાયત

રાજકોટ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરજીના તૈલી ચિત્ર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના બિલ્ડીંગમા મુકવાનો આ ઠરાવનો આજદિન સુધી અમલ કરવામા નહી આવેલ તે અનુસંધાને એ પોલીસ કમિશનર તેમજ મ્યુનિ. કમિશનરને  બે દિવસ ઉપવાસ ઉપર બેસવાની કોરોના ગાઇડલાઇન મુજબ મંજુરી માંગેલી હતી.આથી આજે મ્યુનિ. કમિશનર સામે ઉપવાસ ઉપર બેસતાજ પોલીસે નરેશ સાગઠીયા,વસરામભાઇ સાગઠીયા રવજીભાઇ ખીમસુરીયા, કરશનભાઇ મુછડીયા.પ્રવિણભાઈ સાગઠીયા, ગીરીશ વાણીયા, જગદીશ સાગઠીયા, મોહિત રાઠોડ, કાળુભાઇ સોલંકી, પ્રકાશભાઈ ચાવડા, અરવિંદભાઈ પરમાર,પરેશભાઇ સોલંકી સહિતનાની ધરપકડ કરી  હતી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(2:58 pm IST)