Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

માંડવી ચોક જિનાલય ની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો : પૂજારી જ ચોર નીકળ્યો

પકડાયેલ જયેશ સંઘમાં છેલ્લા ૮ વર્ષથી પૂજારી તરીકે જિનાલયમાં હતો : જિનાલયની બહાર પણ ચોરેલી રકમ ન લઈ જઈ શક્યો

રાજકોટ: શહેરના પ્રાચીન જૈન તીર્થ માંડવી ચોક દેરાસર સોની બજારમાં ગત રાતે થયેલ માણિભદ્ર દાદાના ભંડારમાં થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાં જ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ચોર તરીકે પકડાયેલ જયેશ સંઘમાં છેલ્લા ૮ વર્ષથી પૂજારી તરીકે જિનાલયમાં હતો. જાગતા દેવ માણિભદ્ર દાદા ઉપર અનેક જૈન-અજૈન ખૂબ જ આસ્થા ધરાવે છે. ચોર જયેશ જિનાલયની બહાર પણ ચોરેલી રકમ ન લઈ જઈ શકતા, ભાવિકોને દાદાના વધુ એક પરચાનો અનુભવ થયો હોવાનું સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળાએ જણાવેલ છે

 

(8:23 pm IST)