Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

રૂડામાં હવેથી બિલ્ડરો પાસે વૃક્ષારોપણની ડીપોઝીટ નહી લેવાયઃ વૃક્ષ પુરેપુરૂ ઉછેરાઈ જાય પછી જ કમ્પલીશન સર્ટી અપાશેઃ પરિપત્ર

રાજકોટઃ રૂડાના કાર્યક્ષેત્રમાં બિલ્ડીંગ બાંધતા બિલ્ડરો પાસેથી હવે વૃક્ષારોપણની ડીપોઝીટ નહી લેવામાં આવેઃ બિલ્ડરો ડીપોઝીટ ભરી અને વૃક્ષનો ઉછેર કરતા નથી, આથી હવેથી ડીપોઝીટ લેવાને બદલે બિલ્ડરોએ રોપેલા વૃક્ષો ઉછેર થાય છે કેમ ? તેનો રીપોર્ટ ટાઉન પ્લાનીંગ  ઓફિસર સ્થળ પર જઈ અને સ્થળ તપાસ કર્યા બાદ બનાવી અને પછી જ આવા બિલ્ડીંગમાં કમ્પલીશન સર્ટી અપાશેઃ વૃક્ષો ઉછેર્યા નહી હોય તેવા બિલ્ડીંગોને કમ્પલીશન સર્ટી નહિ મળેઃ રૂડાના કાર્યકારી ચેરમેન બંછાનીધિ પાની

(4:31 pm IST)