Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

કોર્પોરેશનની ૧ બીએચકે આવાસ યોજનામાં વર્ષે ૩ લાખની આવક ધરાવનારાઓનેજ ફલેટ

૧લી જુલાઇએ પ્રસિદ્ધ થનાર આવાસ યોજનાના ફોર્મ અંગે નિયમો જાહેર કરતા મેયર બીનાબેન, એસ્ટેટ ચેરપર્સન જયાબેન, સ્ટેન્ડીંગચેરમેન ઉદયભાઇ

      રાજકોટ,તા.૨૬: આગામી તા.૦૧ રોજ મવડી ખાતેની ૧ બી.એચ.કે આવાસ યોજનાના ફોર્મનું વિતરણ ચાલુ કરવામાં આવનાર છે. જે અનુસંધાને અરજદારે નીચેની વિગત પ્રમાણે જણાવેલ જરૂરી દસ્તાવેજો રજુ કરવાના રહેશે તેમ મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને કલીયરન્સ કમીટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગરે જણાવ્યુ હતુ.

આ અંગે જયાબેન હરિભાઈ ડાંગરની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા માટેની અરજીની વિગત અને શરતો આ મુજબ છે. જેમાં અરજદારના કે તેના કુટુંબના સભ્યોના નામ ભારતભરમાં મકાન / પ્લોટ / ફ્લેટ ન હોવો જોઈએ. અરજદાર ભાડે રહેતા હોય તો તાજેતરના ભાડા કરારની ઝેરોક્ષ નકલ સામેલ રાખવાની રહેશે. સરકારશ્રીની ભ્પ્ખ્ળ્ (શ્શ્વર્ણુીઁ)ની ગાઈડ લાઈન મુજબ કુટુંબમાં પતિ પત્ની તથા અપરણિત બાળકોનો સમાવેશ થશે.

આ અરજી સાથે કોલમ-૮માં દર્શાવેલ જરૂરી પુરાવાનો સ્વ-પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે. અરજદાર અરજી કર્યા પછી કોઈપણ વધારાના પુરાવા રજુ કરી શકશે નહિ. કે શામેલ પુરવામાં કોઈ પાન જાતના ફેરફારની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

અરજદારે ફોર્મમાં જણાવેલ સરનામું બદલે તો, તે અંગેની જન લેખિતમાં રાજકોટ મહાનગરપાલિકાને કરવાની રહેશે. વિકલ્પે પૂરતા સરનામાં ના અભાવે નોટીસ કે પત્ર પરત આવશે તો, તે માટે રાજકોટ મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહિ.

અરજદારની ઉમર અરજી તારીખના રોજ ઓછામાં ઓછી ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ. આ અંગેના આધાર પુરાવા રજુ કરવાના રહેશે.

આ યોજનામાં કુટુંબની ફકત એક જ વ્યકિત ફોર્મ ભરી શકશે. એક જ કુટુંબમાં એક કરતા વધારે ફોર્મ ભરેલ હશે તો રદ્દ કરવામાં આવશે.

અરજદારના કુટુંબની નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ લાખ)થી વધુ ન હોવી જોઈએ. (આવક અંગે મામલતદરશ્રીનું ચાલુ નાણાકીય વર્ષનું જ પ્રમાણપત્ર અથવા ઇન્કમટેક્ષ રીટર્ન રજુ કરવું પડશે.)

પરિશિષ્ટ-૨ના નમુના મુજબનું સોગંદનામું રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર નોટરી પાસે કરાવી ફોર્મ સાથે અસલ સોગંદનામું આપવું આવશ્યક છે. અન્યથા ફોર્મ રદ્ થવા પાત્ર ગણાશે.

સોગંધનામા દર્શાવેલ વિગતો અને આપવામાં આવેલી બાહેધરી કે કોઈપણ અન્ય વિગતો ખોટી રજુ કર્યાના કિસ્સામાં ફોર્મ રદ્દ કરી અવસ્ની ફાળવણી રદ્દ કરવામાં આવશે. અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

અપરણિત અરજદારના કિસ્સામાં લગન થયા નથી તે મુજબનું સોગંદનામું અસલમાં સામેલ રાખવાનું રહેશે. અન્યથા ફોર્મ રદ્દ થશે.

આરક્ષિત કેટેગરી અંગેની વિગતો અરજદારે ફોર્મમાં દર્શાવવી આવશ્યક છે. તથા તેના પૂરતા આધારો ફોર્મ સાથે સામેલ રાખવા જરૂરી છે. જો પૂરતા આધારો સામેલ નહિ હોય તો અરજી આરક્ષિત કેટેગરીમાં ધ્યાને લેવાશે. જેની સામે અરજદાર કોઈ વાદવિવાદ કરી શકશે નહિ.

આ અરજી અંગે કોઈપણ પત્રવ્યવહાર / કામકાજ સંદર્ભે અરજીપત્રક ક્રમાંક નંબર દર્શાવવો આવશ્યક છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાઓછી આવક ધરાવતા લોકો માટે આવાસ યોજના હેઠળ આવાસ મેળવવા માટેની અરજીની વિગત અને શરતો.

અરજદારના કે તેના કુટુંબના સભ્યોના નામ ભારતભરમાં મકાન / પ્લોટ / ફલેટ ન હોવો જોઈએ. અરજદાર ભાડે રહેતા હોય તો તાજેતરના ભાડા કરારની ઝેરોક્ષ નકલ સામેલ રાખવાની રહેશે. સરકારશ્રીની PMAY (Urban)ની ગાઈડ લાઈન મુજબ કુટુંબમાં પતિ પત્ની તથા અપરણિત બાળકોનો સમાવેશ થશે.

આ અરજી સાથે કોલમ-૮માં દર્શાવેલ જરૂરી પુરાવાનો સ્વ-પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે. અરજદાર અરજી કર્યા પછી કોઈપણ વધારાના પુરાવા રજુ કરી શકશે નહિ. કે શામેલ પુરવામાં કોઈ પાન જાતના ફેરફારની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

અરજદારે ફોર્મમાં જણાવેલ સરનામું બદલે તો, તે અંગેની જન લેખિતમાં રાજકોટ મહાનગરપાલિકાને કરવાની રહેશે. વિકલ્પે પૂરતા સરનામાં ના અભાવે નોટીસ કે પત્ર પરત આવશે તો, તે માટે રાજકોટ મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહિ.

અરજદારની ઉમર અરજી તારીખના રોજ ઓછામાં ઓછી ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ. આ અંગેના આધાર પુરાવા રજુ કરવાના રહેશે.

આ યોજનામાં કુટુંબની ફકત એક જ વ્યકિત ફોર્મ ભરી શકશે. એક જ કુટુંબમાં એક કરતા વધારે ફોર્મ ભરેલ હશે તો રદ્દ કરવામાં આવશે.

અરજદારના કુટુંબની નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ લાખ)થી વધુ ન હોવી જોઈએ. (આવક અંગે મામલતદરશ્રીનું ચાલુ નાણાકીય વર્ષનું જ પ્રમાણપત્ર અથવા ઇન્કમટેક્ષ રીટર્ન રજુ કરવું પડશે.)

પરિશિષ્ટ-૨ના નમુના મુજબનું સોગંદનામું રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર નોતરી પાસે કરાવી ફોર્મ સાથે અસલ સોગંદનામું આપવું આવશ્યક છે. અન્યથા ફોર્મ રદ્ થવા પાત્ર ગણાશે.

સોગંધનામા દર્શાવેલ વિગતો અને આપવામાં આવેલી બાહેધરી કે કોઈપણ અન્ય વિગતો ખોટી રજુ કર્યાના કિસ્સામાં ફોર્મ રદ્દ કરી અવસ્ની ફાળવણી રદ્દ કરવામાં આવશે. અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

અપરણિત અરજદારના કિસ્સામાં લગન થયા નથી તે મુજબનું સોગંદનામું અસલમાં સામેલ રાખવાનું રહેશે. અન્યથા ફોર્મ રદ્દ થશે.

આરક્ષિત કેટેગરી અંગેની વિગતો અરજદારે ફોર્મમાં દર્શાવવી આવશ્યક છે. તથા તેના પૂરતા આધારો ફોર્મ સાથે સામેલ રાખવા જરૂરી છે. જો પૂરતા આધારો સામેલ નહિ હોય તો અરજી આરક્ષિત કેટેગરીમાં ધ્યાને લેવાશે. જેની સામે અરજદાર કોઈ વાદવિવાદ કરી શકશે નહિ.

આ અરજી અંગે કોઈપણ પત્રવ્યવહાર / કામકાજ સંદર્ભે અરજીપત્રક ક્રમાંક નંબર દર્શાવવો આવશ્યક છે. (૬.૨૭)

અરજદારે કઇ કઇ  નકલ રજુ કરવીઃવિસ્તૃત માહીતી

૧  આધાર કાર્ડ કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ.

૨  રેશન કાર્ડ રેશન કાર્ડ.

૩ ચૂંટણી કાર્ડ કુટુંબના તમામ સભ્યોના પતિ-પત્ની અને પુખ્ત સભ્યોના ચૂંટણી કાર્ડ.

૪  લાઈટ બીલ હાલ રહેતા હોઈ તે સરનામાંનું તાજેતરનું લાઈટ બીલ.

૫  વેરા બીલ હાલ રહેતા હોઈ તે સરનામાંનું તાજેતરનું વેરા બીલ.

૬  ભાડા કરાર  જે સંયુકત કુટુંબમાં રહેતા હોય તેવા કિસ્સામાં સોગંદનામું આપવું. (ભાડા કરાર)

૭  પાન કાર્ડ કુટુંબના પાન કાર્ડ ધરાવતા તમામ સભ્યોના રજુ કરવા.

૮  રદ કરેલ ચેક અરજદારના બેંક ખાતાનો રદ કરેલ ચેક.

૯  જાતિ અંગેનું પ્રમાણપત્ર જો અનામતનો લાભ લેવા ઇચ્છતા હોય તો રજુ કરવાનું            રહેશે.

૧૦     દિવ્યાંગનું પ્રમાણપત્ર અરજદાર જો દિવ્યાંગ હોય તે કિસ્સામાં ફરજીયાત.

(4:28 pm IST)