Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ભગવતીપરાનો રિક્ષાચાલક ભરત કોળી આર્થિક ભીંસને લીધે સળગ્યો

રાજકોટ તા. ૨૬: ભગવતીપરામાં રહેતાં ભરત પરષોત્તમભાઇ સરવૈયા (ઉ.૨૩) નામના કોળી યુવાને અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ભરત બે બહેનનો એકનો એક ભાઇ છે અને સંતાનમાં બે પુત્ર છે. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. કેટલાક દિવસથી કામધંધો ચાલતો ન હોઇ આર્થિક ભીંસ ઉદ્દભવતા કંટાળીને આ પગલું ભર્યાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

વિજયનગરના પ્રવિણ પર રામનાથપરામાં હુમલો

થોરાળાના વિજયનગરમાં રહેતો પ્રવિણભાઇ નાગજીભાઇ કટારીયા (ઉ.૩૮) રામનાથપરા પાસે હતો ત્યારે એક દૂકાનવાળાએ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનને જાણ કરવામાં આવી હતી.

(4:12 pm IST)