Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

બજરંગ ગ્રુપ દ્વારા પક્ષીના માળા-કુંડાનું વિતરણ

બજરંગ ગ્રુપ દ્વારા દર રવિવારે સવારે ૧૦ થી ૧૨ ગરેડીયા કુવારોડ, મધ્‍યસ્‍થ કાર્યાલયે પક્ષી બચાવો-પર્યાવરણ બચાવો અભિયાનના ભાગરૂપે પક્ષીના માળા-પાણીના કુંડાનું વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવે છે. જેમાં ગત રવિવારે ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના હસ્‍તે આ વિતરણનો પ્રારંભ કરાવાયો હતો. આ પ્રસંગે હર્ષદીપસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, વોર્ડ નં. ૮ ના ભાજપ પ્રમુખ રમેશભાઇ પંડયા, ભાજપ કાર્યાલય મંત્રી નિલેશભાઇ શાહ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. કિશોરભાઇ ધનજીભાઇ કારીયા, પંકજભાઇ ડી. કારીઆ, મનુભાઇ ખંધેડીયા, હસુભાઇ ગણાત્રા, હરેશભાઇ દવે, સુનિલભાઇ મજેઠીયા, જતીનભાઇ ભીંડોરા, નરેન્‍દ્રસિંહ જાડેજા, બી. કે. જાડેજા વગેરે સહભાગી બન્‍યા હતા. સેવાકીય યોગદાનમાં જયદીપભાઇ કોટેચા, દર્શીતભાઇ આર. ભાતેલીયા, રાઘવભાઇ ગણાત્રા, મીનાબેન છાગાણી, હર્ષાબેન કકકડ, જયોતિબેન કે. ભટ્ટ, જે. કે. ભટ્ટ, વી. આર. બુધ્‍ધદેવે પોતાનું યોગદાન આપેલ. તેમ મીડિયા ઇન્‍ચાર્જ વાહીદભાઇ મારફાણીની યાદીમાં જણાવાયુ છે.

(4:03 pm IST)