Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રણછોડદાસબાપુ આશ્રમ દ્વારા સેવાયજ્ઞ : મનરેગાના શ્રમિકોને સુખડી વિતરણ

રાજકોટ : પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા સરકારશ્રી દ્વારા ચાલતા મનરેગાના રાહતકામના શ્રમિકોને રાજકોટ જીલ્લાના તમામ તાલુકાના જસદણ, વિંછીયા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, કોટડાસાંગાણી, જામકંડોરણા, ધોરાજી સહિતના વિવિધ ગામડાઓમાં કુલ ૧ર હજાર શ્રમિકોને પૌષ્ટિક સુખડી વિતરણ કરવામાં આવેલ. આ કાર્યમાં રાજકોટ અધિક કલેકટર શ્રી જે.કે. પટેલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી  અનિલ રાણાવસીયા તથા ડી.ડી.પી.સી. શ્રી નરેશભાઇ બોરીચાનો સહયોગ મળી રહ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રી પ્રવિણભાઇ વસાણીએ યાદીમાં જણાવ્યું કે રાજકોટ જીલ્લામાં મનરેગાના રાહતકામો ચાલુ રહેશે ત્યાં સુધી સુખડી વિતરણ ચાલુ જ રહેશે. સુખડી વિતરણના સેવા કાર્યમાં સંસ્થાના કાર્યકરભાઇઓ શ્રી નિલેષભાઇ નિમાવત (મુન્નાભાઇ), શ્રી શાંતિલાલ વાડોલીયા, શ્રી અતુલભાઇ વસાણી તથા શ્રી ગનીભાઇ વિગેરે સેવા આપી રહ્યાં છે. 

(3:56 pm IST)