Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

જાહેરનામા ભંગના ૧ર૮ કેસઃ કર્ફયુના ૮૮, માસ્ક નહી પહેરનારા ૧૯ વ્યકિતઓ ઝપટે ચડયા

રાજકોટ તા.ર૭ : કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે આ સમયે જાહેર જીવનમાં લોકો સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રોજીન્દી કામગીરી કરે અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકાનું ચુસ્તપણે પોલીસ દ્વારા પાલન કરાવી રહી છે.જેમાં ગઇકાલે જુદા-જુદા વિસ્તારમાંં કર્ફયું સહિતના જાહેરનામાના ભંગના ૧ર૮ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોઇ જે સમયે પણ ઘણા લોકો જાહેર જીવનમાં બેદકારી દાખવી પોતે તથા પોતાના પરિવારને જોખમમાં મુકતા હોય છે જેથી ગઇકાલે પોલીસે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કર્ફયું ભંગના ૮૮, માસ્ક પહેર્યા વગર નિકળનારા ૧૯, તથા દુકાનો બહાર સોશ્યિલ ડીસ્ટન્સનું પાલન ન કરનારા ૧૬ અને બાઇકમાં ટ્રીલ સવારી અને રીક્ષા સહિતના વાહનોમાં બે થી વધુ લોકો નિકળતા ચાર કેસ મળી કુલ ૧ર૮ કેસો નોંધાયા છે.

(4:00 pm IST)