Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ક્ષત્રિય સોરઠીયા રજપૂત સમાજના સમૂહલગ્ન

રાજકોટ : પૂ. દેશળભગત પૂ. સંપૂર્ણાનદજી બાપૂ, મહામુકતરાજ સંતશ્રી પૂ. દેવુ ભગતની કૃપા અને આશીર્વાદથી તથા વિવિધ દાતાઓના સહકારથી સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં સોરઠીયા રજપૂત સમાજના સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. આ અવસરને શ્રીમતી અંજલીબેન રૂપાણી, મનભા મોરી, મેયર ભાવનગર, માવજીભાઇ ડોડીયા, મહેશભાઇ રાજપૂત, યોગેન્દ્રસિંહ પઢીયાર, યુસુફભાઇ, ભકિતધામ, દેવભૂમિ દ્વારકા સ્વામિનારાયણ મંદિરના સંતો સર્વશ્રી સરજુ મહારાજ, જૈન ધર્મના પૂ. અમિતાબાઇ મહાસતીજી, પૂ. સુમતિબાઇ મહાસતીજીએ ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. આ તકે સોરઠીયા રજપૂત સમાજના આગેવાનો સર્વશ્રી મુળુભા પરમાર, દિનેશભાઇ પરમાર, દિપકભાઇ ભટ્ટી, મહેન્દ્રભાઇ એરડા, રમેશભાઇ વાઝા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, દિપકભાઇ પરમાર, કપિલભાઇ રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન કિશોરભાઇ ડોડીયા અને આર. જે. શિતલ ચૌહાણે કરેલ. ગીત સંગીતના સથવારે યોજાયેલ આ સમૂહલગ્નની સફળતા માટે પ્રમુખ વિજયભાઇ ચૌહાણ તથા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ જીતુભાઇ જાદવના માર્ગદર્શન હેઠળ કાર્યકર ભાઇ બહેનોએ જહેમત ઉઠાવી હતી.

(3:42 pm IST)