Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ઔદિચ્ય સહ. ચિભડીયા બ્રહ્મર્ષી મંડળ દ્વારા સમુહ યજ્ઞોપવિત - સમુહલગ્ન

રાજકોટ તા. ૨૬ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મર્ષી (કર્મકાંડ) મંડળ જુનુ અમદાવાદ દ્વારા શ્રી દાળેશ્વર દાદા અને માં ગાયત્રીની કૃપાથી તા. ૨૨ એપ્રિલના રવિવારે વિનામુલ્યે સમુહ યજ્ઞોપવિત અને સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

બટુકોને ભીક્ષાપાત્ર, કાસાની થાળી, સધ્ધા પુસ્તક, પિતામ્બર ઉપવસ્ત્ર, નેપકીન, આસન, ગૌમુખી માળા તેમજ દિકરીઓને જીવન જરૂરી વિવિધ વસ્તુઓ કરીયાવરરૂપે અપાશે.

જોડાવા ઇચ્છુક બટુકના વાલીઓ તેમજ કન્યાના વાલીઓએ ધર્મેન્દ્રભાઇ જનકભાઇ જાની, અમદાવાદ (મો.૯૮૨૪૨ ૫૮૮૭૭), જીતેન્દ્રભાઇ મગનભાઇ જોષી (મો.૯૮૭૯૫ ૨૨૭૧૬૧), દિનેશભાઇ ભાઇશંકરભાઇ જોશી, અમદાવાદ (મો.૯૮૨૪૧ ૬૭૧૬૨) નો સંપર્ક કરવા જીતેન્દ્રભાઇ જોષીની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

(12:02 pm IST)