Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

બેભાન હાલતમાં પ્રોૈઢ અને વૃધ્ધાના મોત

શિવશકિત સોસાયટીના કિશોરભાઇ અને ઉત્સવ સોસાયટીના કડવીબેને સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: માધાપર ચોકડી દ્વારકાધીશ પંપ સામે શિવશકિત સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ ઘોઘાભાઇ ચારોલા (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર કિશોરભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીજા બનાવમાં મોરબી રોડ પર જકાતનાકા પાસે ઉત્સવ સોસાયટી મેઇન રોડ પર રહેતાં કડવીબેન ખોડાભાઇ ધારવીયા (ઉ.વ.૬૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(11:44 am IST)