Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગાંધીગ્રામ ધરમનગરમાં ૩૨ વર્ષના નિરવસિંહ જાડેજાની આત્મહત્યા

માનસિક બિમારીથી કંટાળી જઇ ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૨૬: ગાંધીગ્રામમાં મારૂતિના શો રૂમની પાછળ આવેલા ધરમનગર-૪માં રહેતાં નિરવસિંહ નટુભા જાડેજા (ઉ.વ.૩૨) નામના યુવાને છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. 

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ  નિરવસિંહએ સવારે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં તેમના ભાભી જોઇ જતાં દેકારો મચાવતાં બીજા સ્વજનો અને પડોશીઓ દોડી આવ્યા હતાં અને તેમને નીચે ઉતારી સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતર અને રામજીભાઇએ જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. કૃપાલસિંહ કે. ઝાલા અને લક્ષમણભાઇ મહાજને જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નિરવસિંહ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તેમને માનસિક બિમારી હોઇ કામ કરતાં નહોતાં. આ બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

(3:24 pm IST)