Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કાલાવડ રોડ પર તુલસીપત્ર બિલ્ડીંગમાં બેભાન થઇ જતાં હર્ષાબેન રાઠોડનું મોત

રૈયાધારના ગોકુળભાઇ ઝાપડાએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે તુલસીપત્ર બિલ્ડીંગમાં રહેતાં હર્ષાબેન વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) નામના દરજી મહિલા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર છે. પતિ વિનોદભાઇ તુલસીભાઇ રાઠોડ સાંગણવા ચોકમાં દરજી કામ કરે છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સ્વજનોએ કહ્યું હતું. યુનિવર્સિટી પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા પાસે રહેતાં ગોકુળભાઇ ગંગારામભાઇ ઝાપડા (ભરવાડ) (ઉ.વ.૫૨) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે   યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર ગોકુળભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:09 pm IST)