Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જંકશન સ્ટેશન પરથી બેભાન મળેલા પુરૂષનું મોતઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૬: જંકશન રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી અજાણ્યા આશરે ૪૦ વર્ષના પુરૂષ બેભાન મળતાં રેલ્વે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં રેલ્વે પોલીસે એ.ડી. નોંધી મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. બિમારીથી મોત થયાની શકયતા છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો રેલ્વે પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૩૩૫૮ ઉપર સંપર્ક કરવો. હેડકોન્સ. મનસુખભાઇ વીરમભાઇ અને કોન્સ. સંતોષભાઇ ગઢવી વિશેષ તપાસ કરે છે.

(1:08 pm IST)