Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નાડોદાનગરમાં ડાયાબિટીશની બિમારીથી કંટાળી મધુબેન સિધ્ધપુરાએ જિંદગી ટૂંકાવી

પચાસ વર્ષિય લુહાર મહિલાએ ગળાફાંસો ખાઇ લીધોઃ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ પર નાડોદાનગર ગરબી ચોકમાં રહેતાં મધુબેન દિનેશભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૫૦) નામના લુહાર મહિલાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મધુબેને સાંજે ઘરે ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી કિશનભાઇ છાંયાની તપાસમાં તે મૃત જણાતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ એએસઆઇ ગણપતસિંહ રાણાએ ભકિતનગર પોલીસને વાકેફ કરતાં એએસઆઇ સુભાષભાઇ ડાંગર અને નિલેષભાઇ ચાવડા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મધુબેનને ડાયાબિટીશની બિમારી હતી અને પેરાલિસીસ પણ હતું. આ કારણે કંટાળી જઇ જિંદગીથી છેડો ફાડી લીધો હતો.

મૃત્યુ પામનારના પતિ દિનેશભાઇ લુહારી કામ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જેમાં બે પુત્રી સાસરે છે.

(1:07 pm IST)