Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

પૂ. ધીરજમુની મ.સા.નું કાલે અમદાવાદમાં મંગલ પદાર્પણ

રાજકોટઃ તા. રપ : ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરૂદેવ મોરબીથી ચૂલી, સચાણા થઇ તા. ર૬ ને વસંતપંચમીના શ્રી કાઠિયાવાડ સ્‍થા. જૈન સમાજના મંત્રી મેહુલ ધોળકિયા, ર૪૬ એપલવુડ વિલા, સેલા સનાથલ, બોપલ (સાઉથ) પધારશે.

જયાં બપોરે ૪ થી પ કલાકે વંદના-સંવેદના વિષય પર પ્રવચન અને તા. ર૩ ના બોપલમાં ૧પ કરોડના ખર્ચે નિર્માણાધીન ધર્મસંકુલ, સેવાસંકુલ, મેડિકલ સેન્‍ટર ખાતે માંગલિક બાદ, નટુભાઇ સંઘવીને ત્‍યાં પધારશે.

તા. ર૮ અને ર૯ પાલડીમાં પાટડીવાળા નૂતન ઉપાશ્રય, નારાયણનગર રોડ, શાંતિવન, નૂતન નાગરિક બેંક સામે પધારશે. જયાં ૯-૩૦ થી ૧૦-૩૦ અને તા. ૩૦ ને સોમવારે વાસણામાં પ્રવચન યોજાશે.

 જયાંરે તા. પ ફેબ્રુઆરીને રવિવારે બોડકદેવમાં ભાસ્‍કર રામ પંડયા હોલ, સીમંધર મંદિર રોડ, સુમેરે ખાતે મેડીકલ સેન્‍ટર નામકરણ સમારોહ સવારે ૯-૩૦ થી ૧ર કલાકે યોજાશે.

(3:41 pm IST)