Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

વસંતપંચમી-પ્રજાસતાક દિવસ નિમિતે કાલે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે ધ્‍યાનોત્‍સવ

રાજકોટઃ છેલ્‍લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે અવારનવાર કાર્યક્રમોનું યોજાય છે જેનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરી રહયા છે.આવતીકાલે તા.૨૬ને ગુરુવારે વસંતપંચમી તથા પ્રજાસતાક દિવસ નિમિતે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે સાંજના ૬.૩૦થી ૮ દરમ્‍યાન ઓશો ધ્‍યાનોત્‍સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ છે. કાર્યક્રમ દરમ્‍યાન ઓશો કિર્તન ધ્‍યાન, સંધ્‍યા ધ્‍યાન કરાવવામાં આવશે.સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪-વૈદવાડી, ડીમાર્ટ પાછળ, રાજકોટ

વિશેષ માહિતીઃ સ્‍વામિ સત્‍યપ્રકાશઃ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦(

(4:39 pm IST)