Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સ્‍વામિનારાયણ સંપ્રદાયની સહજાનંદ સ્‍વામી રચિત શિક્ષાપત્રીની વસંતપંચમીએ જયંતી

સવંત ૧૮૮૨ના મહાસુદ પંચમી વસંત પંચમીના શુભદિવસે શ્રીહરિએ શિક્ષાપત્રી લખી એ મારી વાણી અને મારુ સપનું છે એમ કહીને શિક્ષારૂપી આદેશ આપનાર ભગવાન સ્‍વામિનારાયણ માત્ર પોતાના આશ્રિતો પર જ નહી પરંતુ  સમસ્‍ત માનવ ઉપર અનંત ઉપકાર કર્યા છે.

સ્‍વામિનારાયણ ભગવાને ૨૧૨ શ્‍લોકનું માર્ગદર્શન આપેલુ છે. તેનું નામ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી વિચાર, વાણી, વર્તનને શુધ્‍ધ કરનારી છે. જીવનના ચાર પાયા છે, સત્‍ય, અહિંસા, બ્રહ્મચર્ય, સદાચાર, એજ ચાર મનુષ્‍ય જીવનમાં હોવા જોઇએ. શિક્ષાપત્રીના ૨૧૨ શ્‍લોકમાં સહજાનંદ સ્‍વામીએ ગાગરમાં સાગર ભરી દીધો છે. શિક્ષાપત્રીના શ્‍લોક ૧૩૯નો અમલ કરવો શિક્ષાપત્રીના ૨૦૪, ૨૦૬, ૨૦૯, ૨૧૦, અને ૨૧૧ શ્‍લોકમાં ઘણું જાણવા મળશે ગુજરાતનો મહાન લૂંટારો જોબનપગી ભગવાનશ્રી સહજાનંદ સ્‍વામીના વચન અને શિક્ષાપત્રીના વચન અને પ્રભાવથી હાથમાં માળા લઇ જયશ્રી સ્‍વામિનારાયણે બોલવા લાગ્‍યો.

આ શિક્ષાપત્રી એટલે ભગવાન સ્‍વામિનારાયણે ભકતોની રક્ષા કરવા માટે મુશ્‍કેલ સુદર્શનચક્રો શિક્ષાપત્રી પાળનાર સર્વે પ્રકારે આ લોક અને પરલોકમાં સુખી થશે ધર્મ ઉદ્ધારક અને શિક્ષાપત્રી શ્રી સહજાનંદ સ્‍વામીની ભવિષ્‍યવાણીની આગાહી જોતા હતા મુની મહારાજ માર્કડેયજી આજે ભવિષ્‍યવાણી સાચી કરી અને આ તેજસ્‍વી બાળક સહજાનંદ સ્‍વામી તરીકે ધર્મ ઉદ્ધારક બન્‍યા. શિક્ષાપત્રી સ્‍વહસ્‍તે લખી અને સ્‍વામિનારાયણ મહામંત્ર સંપ્રદાય અને વિશિષ્‍ટ દૈત્‍યનું પ્રતિવાદન કર્યુ. શિક્ષાપત્રીના શુભ દિવસે ભગવાન શ્રી સ્‍વામિનારાયણ તથા શિક્ષાપત્રીને દંડવત પ્રણામ

 

શાસ્ત્રીશ્રી બટુકમહારાજ

સ્‍વામિનારાયણ મંદિરના પુજારી, ગામ-કાળીપાટ મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(11:24 am IST)