Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

વેલનાથપરામાં બાવાજી દંપતિ વચ્ચે લગ્નમાં જવા મામલે ચડભડઃ બંને ઝેર પી ગયા

રાજકોટ : મોરબી રોડ પર વેલનાગથપરા-૨૦માં રહેતાં અર્જુનભારથી મનુભારથી ગોસ્વામી (ઉ.વ.૩૫) અને તેના પત્નિ વિલાસબેન અર્જુનભારથી ગોસ્વામી (ઉ.વ.૩૦)એ શનિવારે રાત્રે ઝેરી દવા પી  આપઘાતનો પ્રયાસ કરતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. વિલાસબેનના ભાઇના પરિવારમાં લગ્ન હોઇ ત્યાં જવા બાબતે ચડભડ થતાં બંનેએ પગલુ ભર્યાનું પોલીસની તપાસમાં ખુલ્યું હતું.

(12:00 pm IST)