Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

જાગનાથ પ્લોટના વેપારી હરિશભાઇ અનડકટનું બેભાન હાલતમાં મોત

રાજકોટ : ન્યુ જાગનાથપ્લોટ-૨૭/૩૮ના ખુણે અષ્ટલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતાં લોહાણા વેપારી હરિશભાઇ ગોવિંદભાઇ અનડકટ (ઉ.વ.૫૫) શનિવારે રાત્રે સાડા નવેક વાગ્યે પ્રહલાદ પ્લોટ આશાપુરા ચોકમાં મિત્રો સાથે બેઠા હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(12:00 pm IST)