Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજકોટ જિલ્લાના ૧.૯૦ લાખ ખેડુતોના ખાતામાં રૂ.બબ્બે હજાર જમા થશે

૧૧ તાલુકા મથકોએ કાર્યક્રમઃ ડી.ડી.ઓ.નું માર્ગદર્શન

રાજકોટ તા.ર૪ : રાજય સરકારના આયોજન મુજબ આવતીકાલે તા.રપમીએ પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિન નિમિતે તાલુકાવાર કાર્યક્રમો યોજાનાર છે. રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી, પશુપાલન વગેરે શાખાઓ દ્વારા કાલના કાર્યક્રમોની તૈયારી થઇ રહી છે.

કિસાન સન્માન યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૧.૯૦ લાખ લાભાર્થી ખેડુતો છે જેના ખાતામાંં આવતીકાલે રૂપિયા બબ્બે હજાર જમા થશે. સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ કાલે સવારે ૧૧ થી ર વાગ્યા સુધી યોજાનાર છે તમામ ૧૧ તાલુકા મથકોએ (મોટાભાગે માર્કેટયાર્ડોમાં)કાર્યક્રમ થશે દરેક કાર્યક્રમમાં પ૦૦-પ૦૦ ખેડુતો ભેગા કરવાનું આયોજન છે ઉપરાંત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય સામગ્રી અને મંજુરી પત્રનું વિતરણ કરાશે.વડાપ્રધાન, મૂખ્યમંત્રી સહિતના મહાનુભાવોના પ્રવચનોનું સ્થળ પર સીધુ પ્રસારણ થશે.

(4:02 pm IST)