Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

આરોગ્યલક્ષી બેનરો સાથે દાઉદી વ્હોરા સમાજ દ્વારા વોકથોન

રાજકોટ : દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) એ વિવિધ રોગ સામે જાગૃતતા લાવવા માટે અને આરોગ્યની સંભાળ બાબતે જાગૃતતા લાવવાના હેતુથી વિશ્વભરમાં રવિવારે સવારે વોકથોનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે દરેક દરેક ગામમાં દાઉદી વ્હોરા સમાજના લોકો આ વોકથોનમાં જોડાયા હતા. રાજકોટમાં જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઈ સાહેબની આગેવાનીમાં વોકથોન થઈ હતી. જેમાં દૈનિક ચાલો અને ડાયાબીટીસ નિયંત્રણ કરો વગેરે બેનર સાથે રેસકોર્ષ રીંગ રોડ ઉપરથી ૩ કિ. મી.ના વોકથોન કરેલ તેમ શેખ યુસુફભાઈ જોહર કાડ્ર્સવાળાએ જણાવ્યુ હતું.

(3:29 pm IST)