Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ઓરિસ્‍સાના વૃધ્‍ધનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૫: કુવાડવા રોડ નવાગામ સાત હનુમાન પાછળ રૂડા ટ્રાન્‍સપોર્ટ નગરમાં કડીયા કામની સાઇટ પર પરિવારજનો સાથે રહી મજૂરી કરતાં મુળ ઓરિસ્‍સાના વૃધ્‍ધ નકુલભાઇ હરપાલભાઇ જોગી (ઉ.વ.૬૭) બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા પોલીસને જાણ કરી હતી. વૃધ્‍ધ કેટલાક દિવસથી બિમાર હતાં અને ગઇકાલે અચાનક બેભાન થઇ જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ જીવ ન બચતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:51 pm IST)