Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

'ડાયાબિટીસ અને થાઇરોઇડ વચ્ચે સંબંધ' વિષય ઉપર રવિવારે ફેસબુક લાઇવ પ્રવચન

રાજકોટઃ લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ'લાઇફ' (રેસકોર્સ રીંગ રોડ) દ્વારા આયોજીત આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણી 'શુ કરીએ તો સદાય સાજા રહીએ' અંતર્ગત ૨૪૮માં પ્રવચનનું રવિવારે, તા.૨૭ના સવારે ૧૦ થી ૧૧ સુધી આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો. ગૌરાંગ પટેલ દ્વારા 'ડાયાબિટીસ અને થાઇરોઇડ વચ્ચે સંબંધ'વિષય પર મહત્વની માહિતી આપવામાં આવશે અને તે ફેસબુક લાઇવ કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી માટે મો. ૮૫૧૧૩૩૧૧૩૩ / ૦૨૮૧ ૨૪૭૯૧૩૩ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:25 pm IST)