Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રમીલામા (રક્ષાબેન) ૮૧ વર્ષની વયે નિર્વાણ પામ્યા

ઓશો આનંદ આશ્રમ (માધવપુર ઘેડ)ના : સ્વામી બ્રહ્મવેદાંતજીના ધર્મપત્નિ હતા, પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલિન

રાજકોટઃ ઓશો આનંદ આશ્રમ- માધવપૂર (ઘેડ)ના રમીલામા (રક્ષાબેન)નું ૮૧ વર્ષની ઉમરે ગઈકાલ રવિવારે વહેલી સવારે નિર્વાણ પામ્યા. જેઓ નિર્વાણ સ્વામિ ભગવાન બ્રહ્મવેદાંતજીના ધર્મપત્ની હતા.

રમીલા મા ઓશો જગત મા તથા ખાસ કરીને માધવપૂર ઓશો આનંદ આશ્રમ પર જતા સાધકો મા તેમના પ્રેમ તથા આતિથ્ય માટે લોકપ્રિય હતા અને ત્યા આવતા જતા સાધકોની ખૂબ જ કાળજી રાખતા.

તેઓ ગઈકાલે વ્હેલી સવારે ૮૧ વર્ષની ઉંમરે આશરે ૧૨:૩૦ વાગ્યે (તા.૨૧ શનિવાર માડી રાત્રી તથા રવિવારે વ્હેલી સવારે) નિર્વાણ પામ્યા. ગઈકાલે રવિવારે સવારે ૮:૩૦થી સાંજના ૫ દરમ્યાન માધવપૂરના આશ્રમમાં આવેલ રામદુલારે સમાધી મંદિરે તેમના શરીરને દર્શન માટે રાખવામાં આવેલ. બાદમાં સાંજના ઓશો સન્યાસી તથા પ્રેમીઓ દ્વારા ઓશો જગતની પરંપરા મુજબ કિર્તન કરતા કરતા ઉત્સવમયી વાતાવરણ મા તેમની અંતીમ યાત્રા કાઢવામાં આવેલી. ઓશો આનંદ આશ્રમમાં તેઓનો અંતીમ સંસ્કાર કરવામાં આવેલો. ઓશો આનંદ આશ્રમના અંતરંગ વર્તુળમાંથી જાણવા મળે છે કે તેઓની સમાધિ પણ ભગવાન બ્રહ્મવેદાંતજીની સમાધિની બાજુમાં બનાવવામાં આવશે.

(3:38 pm IST)