Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સૌ.યુનિ.માં કરાર આધારીત ભરતી કૌભાંડમાં સંડોવાયેલ સામે કડક કાર્યવાહી કરોઃ આવેદન

આમ આદમી પાર્ટી દ્વારા રાજયપાલને સંબોધી કલેકટરને રજુઆત

રાજકોટ તા. રપ : આમઆદમી પાર્ટીએ રાજયપાલશ્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત ભરતીમાં કૌભાંડ બાબતે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંપુર્ણ સૌરાષ્ટ્રનું એક શૈક્ષણીક વિદ્યાધામ તરીકે એક સમયે ઓળખાતું હતું હાલ તે આપશ્રી દ્વારા કુલપતીશ્રીની નિમણુંક કરવામાં આવે છે. આપશ્રીની સિધ્ધી જ દેખરેખ નજર ગ્રહણમાં ચાલતી હોય છે અને આ વિદ્યાધામનું સંચાલન કુલપતી અને સીન્ડીકેટ સભ્યોની નજર ગ્રહણમાં આપના આદેશ પ્રમાણે કાર્ય કરવાનું હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તાબા હેઠળમાં વિવિધ ફેકેલ્ટીઓમાં ૮૮ કરાર આધારીત અધ્યાપકોની ભરતી (નિમણુંક) ની પ્રક્રીયામાં હયાત સિન્ડીકેટ સભ્યોમાંથી મોટાભાગના સિન્ડીકેટ સભ્યો દ્વારા મળતીયાઓની નિમણુંક આપવા માટે ભલામણ અને દબાણથી કરવામાં આવેલ. જેનું આ પ્રકરણ તમામ પ્રેસ-મિડીયા દ્વારા પ્રજા સમક્ષ ખુલ્લુ પણ પાડવામાં આવેલ હતું. આ પ્રકરણ અંગે અમારી આપને વિનંતી કે, દોષીત સિન્ડીકેટ સભ્યોને અને ભલામણ કરનાર યુનિવર્સિટીના અધિકારી/પદાધીકારી પ્રત્યક્ષ કે પરોક્ષરીતે પણ સંડોવાયેલ હોય તેઓની સામે કડક કાર્યવાહી કરી તાત્કાલીક ધોરણે જે નિમણુંક આપવામાં આવેલ છે તે બરખાસ્ત કરી જયા સુધી તપાસમાં યોગ્ય નિરાકરણ ના આવે ત્યાં સુધી તમામ અધિકારી-પદાધીકારીઓને યુનિવર્સિટીની કામગીરીથી અળગા રાખવા.

(3:00 pm IST)