Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

કાલે દેવસાહેબનો જન્મદિન

ચાહક કેશુભાઇ રાઠોડે ફિલ્મ 'ગાઇડ' ૧૦૧ વખત નિહાળેલીઃ દુકાનમાં મોટી તસ્વીર રાખેલી છે

રાજકોટઃ સ્વ. દેવઆનંદ દેવનો જન્મ ૨૬મી ડીસેમ્બર ૧૯૨૩માં પંજાબમાં થયો હતો. ૩ ડિસેમ્બર  ૨૦૧૧ના દિવસે લંડન ખાતે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. રાજકોટમાં દેવઆનંદના એક અનન્ય ચાહક કેશુભાઇ રાઠોડે તેમની ભીલવાસમાં આવેલ ગાઇડ પાન હાઉસ ખાતે દેવસાહેબની વિશાળ તસ્વીર રાખી છે.  ૧૭ વર્ષની ઉમંરે ગાઇડ ફિલ્મના શુટીંગ દરમિયાન વાંકાનેર અને લીંબડીમાં દેવઆનંદને બેત્રણ વખત મળ્યા હતા અને સાથે ભોજન પણ લીધુ હતુ. દેવઆનંદના નિધનના દિવસે તેમણે દુકાન બંધ રાખી શ્રધ્ધાંજલી અર્પી હતી અને દાન ધર્માદો કર્યો હતો. તેમણે ગાઇડ ફિલ્મ ૧૦૧ વખત જોઇ છે. (કેશુભાઇ રાઠોડ મો.૯૪૨૭૫ ૬૧૨૧૪ )

(4:03 pm IST)