Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ના ૫૦માં જન્મોત્સવ પરમોત્સવનો શુભારંભ

અધ્યાત્મના આકાશને આંબવા જ્ઞાનની નિસરણી જોઈએઃ જ્ઞાન તે જ ધ્યાનનું મૂળ હોય છેઃ પૂ. નમ્રમુનિ મ. સા.

રાજકોટ, તા. રપઃ  રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦માં જન્મોત્સવ- પરમોત્સવ - મહા માનવતા અવસર અત્યંત ભકિતભાવે શુભારંભ કરવામાં આવ્યો હતો.

લાઈવ પ્રસારણના માધ્યમે આયોજિત કરવામાં આવેલાં ત્રિદિવસીય પરમોત્સવનો પ્રારંભ પરમ જ્ઞાન ઉત્સવ સ્વરૂપે ઉજવવામાં આવ્યો હતો

આ અવસરની શરૂઆત પરમ ગુરુદેવ દ્વારા કરવામાં આવેલ ધ્યાન સાધના બાદ બ્રહ્મનાદે મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના દિવ્ય ગુંજારવ સાથે પ્રારંભ થયેલા આ અવસરે લુક એન લર્નના બાળકો દ્વારા સુંદર ગીત પ્રસ્તુતિ દ્વારા પરમ ગુરુદેવના જન્મોત્સવ પરમોત્સવના વધામણાં કરવામાં આવ્યાં હતાં.

જગતના દરેક પર થી પર થઈ જવાના ઉત્સવ સ્વરૂપ પરમોત્સવ લક્ષી અત્યંત હદયસ્પર્શી શૈલીમાં બોધ આપતાં આ અવસરે પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, જ્ઞાનની ધારામાં જયારે કોઈ વ્યકિત ડૂબી જાય છે ત્યારે તેને શુધ્ધિ અને સમાધિની અનુભૂતિ સાથે તેને સમજાય છે કે, પદાર્થમાંથી મળતાં સુખ કરતાં, પ્રજ્ઞામાંથી અંતરને સમાધિ મળી જાય છે. આજ સુધીના જેટલાં પણ પરમાત્માઓએ પરમાત્મ સ્વરૂપ સિધ્ધિને પ્રાપ્ત કરી છે તો તેનું એકમાત્ર પરિબળ તે જ્ઞાન છે. સંસારના અનંતકાળના પરિભ્રમણનું કારણ છે અજ્ઞાન માટે જ જે સમાજ જ્ઞાનથી સંસ્કારિત બને છે, તે સમાજ સંસારમાં જ સિધ્ધત્વની અનુભૂતિ કરતો હોય છે. આપણે જ્ઞાનના સહારે આ સંસારને તરી જવાનો છે. આજ સુધી સંસાર સાગરને તરનારા જ્ઞાનની નાવના આધારે જ તરી ગયાં છે. જ્ઞાન એક headlight જેવું છે જે આપણને સંસારના accident થી બચાવી લેતું હોય છે. જ્ઞાનથી સંસ્કારિત થએલી કોઈ વ્યકિત અનેકોને સંસ્કારિત કરી દેતી હોય છે .જ્ઞાન તે સ્થિરતાનું કારણ છે, જ્ઞાન તે ધ્યાનનું મૂળ છે. આપણે જ્ઞાની બનીએ, જ્ઞાનના સાધનોની, જ્ઞાનની પ્રભાવના કરીએ, જ્ઞાનથી સંસ્કારિત સમાજનું નિર્માણ કરીએ.

લુક એન લર્નના જયોત સે જયોત જલે કાર્યક્રમની અદ્બૂત પ્રસ્તુતિમાં પરમ ગુરુદેવના અમૂલ્ય ગુણોની કરવામાં આવેલ ગુણ સ્તુતિ તેમજ ગુરુચરણમાં ૧૦૦૦ બાળકોએ પ્રભુ જ્ઞાનવાણીને કંઠસ્થ કરવાની સંકલ્પ ગ્રહણ કરતાં સહુના અંતરમાં હર્ષ હર્ષ છવાયો હતો.

વિશેષમાં, સમગ્ર સંદ્ય -સમાજ અને આવનારી પેઢીને સેવા પરમાર્થની પાવન પ્રેરણા આપવાના લક્ષ સાથે દર વર્ષે પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે સંઘ સમાજ પ્રત્યે અનન્ય સેવા બજાવનારા નામાંકિત મહાનુભાવોને અર્પણ કરવામાં આવતાં ગૌરવવંતા પરમ એવોર્ડની પાવન પરંપરાને આગળ વધારતાં આ અવસરે પણ સેવાની સુવાસ પ્રસરાવનારા પરોપકારી મહાનુભાવોને પરમ એવોર્ડ અર્પણ કરીને એમની પરમાર્થ ભાવનાના બહુમૂલ્ય સન્માન કરવામાં આવ્યાં હતાં.

આ વર્ષના એવોર્ડના મહાનુભાવો- શ્રી સી.યુ. શાહ - સી.યુ.શાહ યુનિ. સુરેન્દ્રનગર, શ્રી પ્રાણજીવનદાસજી જુઠાલાલ શાહ - પાર્લા સંદ્યના સેવાપ્રેમી, શ્રી રામજીભાઈ વિરાણી - વિરાણી ઉપાશ્રય, માતુશ્રી લીલાવંતિબેન કીર્તિભાઈ મહેતા - લીલાવતી હોસ્પિટલ, શ્રી કાંતિભાઈ લાધાભાઈ શેઠ - રાજકોટના શ્રેષ્ઠીવર્ય, ડાઙ્ખ શ્રી જશવંતભાઈ મોદી - અમેરિકાના શ્રેષ્ઠીવર્ય, શ્રી કિશોરભાઈ સંદ્યવી – પાર્લા, શ્રી કાંતિલાલભાઈ પ્રેમચંદ વોરા - સરદારનગર રાજકોટ અને માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ - શેઠ બિલ્ડર્સને પરમ એવોર્ડનું ગૌરવ અર્પણ કરીને જીવન સાર્થક સન્માન દ્વારા સન્માનિત કરવામાં આવતાં સર્વત્ર અનુમોદનાનો સ્વર ગૂંજી ઉઠ્યો હતો.

સેવા અને સેવાભાવીઓની અનુમોદના કરતાં પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, આ એવોર્ડ તે માત્ર કોઈક એક વ્યકિતનું સન્માન નથી પરંતુ જન્મથી સજ્જન બનવાની અને સજ્જનમાંથી સર્વશ્રેષ્ઠ બનવાની દિશાની આ સમાજને પ્રેરણા આપવામાં આવી રહી છે.

તા ૅં૨૫ ,૨૬ અને ૨૭ સપ્ટેમ્બર ત્રણ દિવસ ચાલનારા પરમોત્સવના આ અવસરે આવતીકાલે સવારના ૦૮.૧૫ થી ૦૮.૩૦ કલાક દરમ્યાન તેમજ સાંજના ૦૭.૩૦ થી ૦૯.૩૦ કલાક દરમ્યાન સુવિખ્યાત ગાયક કલાકારો શ્રી જૈનમભાઈ વારિયા, શ્રી પીયૂષભાઈ શાહ, શ્રી હર્ષિતભાઈ શાહ, શ્રી સૌરભભાઈ મહેતા, શ્રી મહાવીરભાઈ શાહ, ઘ્. ખ્ શ્રી દેવાંગભાઈ દોશી, શ્રી ભાવિકભાઈ શાહ અને શ્રી વિરલભાઈ સુરાણાના મધુરકંઠે ભકિતનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલ તૉં ૨૬.૯.૨૦૨૦ શનિવાર સવારના ૦૮.૦૦ કલાકે ધ્યાન સાધના બાદ પરમોત્સવ દ્વિતીય દિન પરમ ભકિત ઉત્સવ સ્વરૂપે ઉજવાશે. જેના અંતર્ગત પરમ ગુરુદેવના બ્રહ્મનાદે શ્રી ઉવસગ્ગહરંની જપ સાધના સાથે પરમ મંત્રોત્સવની દિવ્યતાના દર્શન કરાવવામાં આવશે .આ અવસરે પરમ ગુરુદેવના સંસાર પક્ષે રત્નકુક્ષિણી માતા પૂજય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજી -બા સ્વામીના હદય ઉદગાર - આશિર્વચનની સાથે પરમ ગુરુદેવ પ્રેરિત વિવિધ મિશન્સ સાથે જોડાયેલા ભાવિકો ( તેમજ પારસધામ -પાવનધામ સંકુલના અધિકારીઓ )એ સાથે જ , જીવદયા - માનવતાના મહા સત્ત્।કાર્ય સ્વરૂપે  પરમ સ્પોર્ટ  પ્રકલ્પનો મંગલમય શુભારંભ અને સેવાભાવી-પરોપકારી ભાવિકોને પરમ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે . પ્રેરણાત્મકની પ્રસ્તુતિ સાથે પરમ ભકિતનો આ ઉત્સવ ઉજવવામાં આવશે.

(4:08 pm IST)