Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

માં આદ્યશકિત ગરબી મંડળ : શાંતિ નિકેતન પાર્ક, રૈયા રોડ

રાજકોટ : છેલ્લા ૧૫ વર્ષથી રૈયા રોડ, આલાપગ્રીન સીટી પાસે આવેલ શાંતિ નિકેતન પાર્ક ખાતે માં આદ્યશકિત ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહાપર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળમાં  ૫ વર્ષથી ૧૩ વર્ષની ૭૦ જેટલી બાળાઓ ભાગ લે છે અને આ બાળાઓને એક મહિના અગાઉથી ટ્રેનીંગ આપવામાં આવે છે. જેના ભાગરૂપે શ્રી બીનાબેન તથા શીતલબેન અને અલકાબેન છેલ્લા એક મહિનાથી નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. ટ્રેનર કિરણબેન નાની બાળાઓને તાલીમ આપી રહ્યા છે. તેમજ ગરબી મંડળના યાદગાર આયોજનને સફળ બનાવવા કાર્યકરો ગુણુભાઈ પટેલ, બીપીનભાઈ રામાણી, કિશોરભાઈ પટેલ, ઋષિભાઈ, અશોકભાઈ, અરૂણભાઈ, જીતુભાઈ તથા જયભાઈ અને ટાંક ભાઈ તથા રમેશભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:07 pm IST)