Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રવિવારે સોનીબજાર મિત્રમંડળ દ્વારા ગરબી મંડળની 1551 કુંવારીકાઓને ભોજન - લ્હાણી

પુરીબેન હોલમાં રાસ-ગરબાની રમઝટ સાથે ભોજન:સ્કૂલ બેગ સહિતની લ્હાણી

રાજકોટ તા;25 શ્રી સોનીબજાર મિત્ર મંડળ દ્વારા નવલા નવરાત્રીના પાવન પર્વે માં જગદંબાની આરાધના કરતી આમંત્રિત ગરબી મંડળની 1551 કુવારીકા ભોજન અને લ્હાણીનું દરવર્ષની માફક આ વર્ષે પણ આયોજન કરાયું છે  

  અકિલા કાર્યાલય ખાતે શ્રી સોનીબજાર મિત્રમંડળના સભ્યોએ જણાવ્યું હતું કે આગામી તા;29ને રવિવારે પુરીબેન હોલ જીલ્લા ગાર્ડન ચોક ખાતે ધર્મમય વાતાવરણ વચ્ચે યોજાનાર કુવારીકા ભોજન પ્રસંગે શ્રી માઁ ભદ્રકાળી ધૂન મંડળ દ્વારા સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી માં જગદંબાના ગરબાની રમઝટ બોલાવશે
    કુવારીકા ભોજનના દાતા તરીકે ગો.વા.મથુરભાઈ ભનુભાઈ ઝીન્ઝૂવાડિયા (રાધિકા જવેલર્સ પરિવાર ) રહેશે આ પ્રસંગે અતિથી વિશેષ પદે મેયર બીનાબેન આચાર્ય,પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,ઝાલાવાડી શ્રીમાળી સોની સમાજના પ્રમુખ દિલીપભાઈ રાણપરા,,હાલારી સોની સમાજના પ્રમુખ અશોકભાઈ ઝીંઝુવાડિયા,શિલ્પા લાઈફ સ્ટાઇલ વાળા પ્રભુદાસભાઈ પારેખ,સમાજ અગ્રણી ચીમનભાઈ લોઢીયા ,વિનુભાઈ પારેખ,રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો ,ના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયા, સિલ્વર એસો,ના પ્રમુખ મનુભાઈ એ-વન અને આર,કે,સિલ્વરવાળા રણજીતભાઇ, ઉપસ્થિત રહેશે 

   કુવારીકા ભોજનમાં જોડાનાર તમામ બાળાઓને લ્હાણીમાં સ્કૂલ બેગ,ચાંદલાના પેકેટ,રૂપિયાનો સિક્કો,ચોકલેટ,વેફર,બિસ્કિટ સહિતની લ્હાણી અપાશે 

કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી સભ્યો  નયનભાઈ રાણપરા,વિનુભાઈ ફીચડીયા ,જગદીશભાઈ આડેસરા,નીલેશભાઈ લોલારીયા,રાજેશભાઈ રાણપરા,રમેશભાઈ માંડલિયા,હરેશભાઇ ભુવા,મહેન્દ્રભાઈ પાટડીયા ,નિલેશભાઈ આડેસરા,રવિકાંતભાઈ વાગડીયા,અને દીપકભાઈ પારેખ જહેમત  ઉઠાવી રહ્યા છે

  અકિલા કાર્યાલય ખાતે નયનભાઈ રાણપરા,વિનુભાઈ ફીચડીયા,રાજેશભાઈ રાણપરા અને નિલેશભાઈ લોલારિયા ઉપસ્થિત રહ્યાં હતા.

(2:24 pm IST)