Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

''માધવ ફાઉન્ડેશન દ્વારા ગણેશ મહોત્સવ સંમાપન''

 માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મહા આરતિ,પ્રસાદ, ધુન-કિર્તન, સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી મુર્તિ નું સ્થાપન કરી દરરોજ ગુણ ગવાયા હતા. હવેલીના કિર્તન, સત્યનારાયણની કથા, રકતદાન સીબીર અને થેલેસેમીયા જન જાગૃતિ અધિયાન આવરી લેવામાં આવ્યું હતું જેમાં ૫૧ રકતદાતઓ એ રકત આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લાલભાઇ પોપટના સીધા માર્ગદર્શન હેઠળ દક્ષાબેન પોપટ, નિધી પોપજ્ઞ, અરૂણાબેન વારા, મીરાબેન, યોગીનીબેન ગઢવી, ડો રવિ ધાનાણી, માધવ ચગ, હાર્દિક કેસરીયા, ભાર્ગવ ગઢવી, પ્રીતેશ પોપટ, અલ્પેશ પરમાર, ધવલ ડોબરીયા, રાહુલ રાજાણી, જીગર પંડયા, અજય રાજાણી, પૃષ્ટિ પોપટ વિગેરેે એ જહેમત ઉઠાવી હતી. 

(4:28 pm IST)