Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

એક પ્રોઢને પુત્રએ પતાવી દીધાની વાતથી એસઓજી અને સાયલા પોલીસની તપાસ

છએક વર્ષ પહેલા રાજકોટ પંથકના ગામના એક શખ્સે હત્યા કરી બારોબાર અંતિમવિધી કરી નાંખ્યાની વાતથી તપાસનો ધમધમાટઃ એક શખ્સને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરાઇ

રાજકોટ તા. ૨૫: રાજકોટના સરધાર તાબેના હડમતિયા ગોલીડામાં તાજેતરમાં બે કાઠી બંધુએ પોતાના વૃધ્ધ નાનીમાની જમીન પચાવી પાડવાના ઇરાદે હત્યા કરી તેની બારોબાર અંતિમવિધી કરી નાંખવા પ્રયાસ કર્યો હતો. ત્યાં શહેર એસઓજીને વધુ એક આવો બનાવ છએક વર્ષ પહેલા બન્યાની વાત મળતાં તપાસ શરૂ કરી છે. એક શખ્સને ઉઠાવી લઇ પુછતાછ આરંભી છે અને સાયલા પોલીસને પણ તપાસમાં સામેલ કરી હોવાનું કહેવાય છે.

છએક વર્ષ પહેલા એક શખ્સે પોતાના મિત્રને સાથે રાખી પિતાને રાજકોટ પંથકના એક ગામમાંથી સાયલા તરફ લઇ જઇ પતાવી દઇ પિતાની લાશનો ત્યાં જ નિકાલ કરી દીધાની વાત વહેતી થતાં એસીપી જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં એસઓજીના પી.એસ.આઇ. અને ટીમે તપાસ શરૂ કરી એક શખ્સને ઉઠાવી લઇ પુછતાછ કરતાં તે ગોળગોળ વાતો કરી રહ્યો છે. આ મામલે સાયલા પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જો કે હજુ એક શખ્સ પોલીસને મળ્યો ન હોઇ ખરેખર છ વર્ષ પહેલા શું બન્યું હતું? તે બહાર આવ્યું નથી. ટૂંકા દિવસોમાં આ બનાવનો પર્દાફાશ થવાની શકયતા છે.

(4:25 pm IST)