Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનવાનો માર્ગ ઉત્તમ પુસ્તકોમાંથી જ નિર્માણ થયોઃ એલ.જી. પ્રાથમિક શાળામાં પુસ્તક પ્રદર્શન યોજાયુ

રાજકોટ : આજકાલ વાલીઓની ફરિયાદ છે કે બાળક મોબાઇલ, સોશીયલ મીડિયા અને ટીવીના કાર્યક્રમોમાંથી બહાર આવતું નથી. પરંતુ રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા માતૃશ્રી એલ.જી.ધોળકિયા પ્રાથમિક શાળામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનથી આ વિધાન સાથે એક નવો વિકલ્પ જોવા મળ્યો હતો. આ પુસ્તક પ્રદર્શનમાં નાનકડા બાળ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનવા તરફનો માર્ગ દર્શાવતી સેંકડો પુસ્તીકાનું વેંચાણ થયું. બહોળી સંખ્યામાં વાલી પ્રદર્શન જોવા શાળાએ પણ કાયમી ધોરણે પુસ્તકોની ખરીદી કરી હતી. આ તકે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જીતુભાઇ ધોળકિયા તથા શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકિયાએ જણાવ્યું કે બાળકોને મોબાઇલના બદલે પુસ્તકનો વિકલ્પ આપીએ તો બાળક અવશ્ય એ તરફ વળશે.

(4:24 pm IST)