Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

'તારા માવતરે સંસ્કાર જ નથી આપ્યા' કહી સોની મહિલા ક્રિષ્નાબેનને પતિ-સાસરીયાનો ત્રાસ

પતિ દારૂ પી મારકુટ કરતો હોવાનો આક્ષેપ : બંનેના બીજા લગ્ન છે

રાજકોટ, તા. રપ :  લક્ષ્મીવાડી મેઇન રોડ પર વ્રજધામ મિલ કમ્પાઉન્ડમાં રહેતી સોની મહિલાને પતિ, સાસુ, સસરા અને દિયર, 'તારા માવતરે સંસ્કાર જ નથી આપ્યા' ચીજવસ્તુ લેવી હોય તો માવતરેથી લઇ આવ તેમ મેણાટોણા મારી મારમારી શારીરિક માનસીક ત્રાાસ આપતા સોની મહિલાએ ફરીયાદ કરી છે.

મળતી વિગત મુજબ લક્ષ્મીવાડી શેરી નં. ૧૦/૧૬માં શાંતિકુંજ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧માં માવતરે રીસામણે આવેલ ક્રિષ્ના નિમિત માંડલીયા (ઉ.વ.ર૩) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતાના છ માસ પહેલા લક્ષ્મીવાડી મેઇન રોડ વ્રજધામ મીલ કમ્પાઉન્ડમાં રહેતો નિશિત સાથે બીજા લગ્ન થયા હતા નિશિતના પણ બીજા લગ્ન હતા. લગ્ન બાદ પોતે પતિ, નિશિત હસમુખલાલ માંડલીયા, સાસુલતાબેન હરમુખલાલ માંડલીયા, સસરા હસમુખલાલ જેન્તીલાલ માંડલીયા, અને દિયર કિશન હરમુખલાલ માંડલીયા (રહે. લક્ષ્મીવાડી વ્રજધામ મિલ કમ્પાઉન્ડ) સાથે સંયુકત પરિવાર સાથે રહેતી હતી. અને લગ્નની શરૂઆતમાં પંદરેક દિવસ સારી રીતે રાખેલ અને બાદ સાસુ લતાબેન અને સસરા હસમુખલાલ અને પતિ નિશિત ઘરની નાની-નાની બાબતમાં ટોર્ચર કરતા અને મેણાટોણા મારી કહેતા 'તારા મા-બાપે કાંઇ સંસ્કાર જ નથી આપ્યા અને તારે કાંઇ ચીજસંસ્કાર વસ્તુ લેવી હોય તો તારા મા-બાપ પાસે જ મંગાવવી અમારે તેને કાંઇ લઇ આપવાનું જ નથી' અને દિયર કિશન પણ કહેતો કે 'તારા આ મોજશોખ માવતરે જ મુકીને આવવુ જોઇએ' તેમજ સાસરીયાઓ ખોટી શંકા-કુશંકા પણ કરતા હતા અને નાનીનાની બાબતે ઝઘડો કરી મારકૂટ કરતા હતા. પતિ અને દિયર દારૂ થી મારકુટ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ મામલે ક્રિષ્ના માંડલીયાએ મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. ગીતાબેન પંડયાએ તપાસ હાથ ધરી છે. (૯.ર)

(4:23 pm IST)