Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રૂ.૫.૧૩ લાખની ખરીદી કરી આપેલ ચેકરિટર્ન થતા ફરિયાદ

રાજકોટ તા.૨૫: અત્રે શ્રી સદગુરૂ મેટલ, રણછોડનગર, રાજકોટ પાસેથી સંજયભાઇ એમ.સોજીત્રા, રહે આર્યનગર મેઇન રોડ, 'બ્રહ્માણી કૃપા' રાજકોટવાળાએ બ્રાસ મેટલની રૂ.૫,૧૩,૦૦૦ એક રૂપિયા પાંચ લાખ તેર હજાર પુરાની ખરીદી કરેલ, જેની ચુકવણી માટે આપેલ ચેક વણચુકવેલ પરત ફરતા નોટીસનો વ્યવહાર કરવામાં આવેલ. સદર હું નોટીસના વ્યવહારમાં પણ દોઢ માસનો સમય હોવા છતા સંજયભાઇએ માલની ખરીદી પેટેની રકમ ન ચુકવતા રાજકોટના એડી.ચીફ જે.એમ.એફ.સી.બની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ તથા ૧૪૨ તળે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ છે અને સદર હું ફોજદારી ફરીયાદ અન્વયે કોર્ટે તા.૧૭-૧૦-૨૦૧૮નું સમન્સ પાઠવી તહોમતદાર સંજયભાઇ એમ.સોજીત્રાને હાજર થવા હુકમ કરેલ છે. સદર હું કામમાં રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી આર.ડી.ઝાલા તથા જીતેન્દ્ર એચ.પારેખ રોકાયલ છે.

(4:21 pm IST)