Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

ગંજીવાડામાં આશીફ ભટ્ટી પર મુસ્લિમ દંપતિ સહિત ૪નો જુના મનદુઃખને લીધે ધારીયાથી હુમલોઃ ધમકી

રાજકોટઃ ગંજીવાડા-૫માં રહેતાં આશીફ અબ્દુલભાઇ ભટ્ટી (ઉ.૩૦)ને શનિવારે રાત્રે સલિમ, તેની પત્નિ તથા મહમદ અને સમીરે ગાળો દઇ ધારીયાથી હુમલો કરી ઇજા કરી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં અને મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આશીફ ઘર પાસે હતો ત્યારે ચારેયએ આવીને તે કેમ ત્રણ દિવસ પહેલા અમારા ઘર પર પથ્થરમારો કર્યો હતો?' તેમ કહી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એએસઆઇ ગોકુળભાઇ વાસાણીએ ફરિયાદ નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:08 am IST)