Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

કિસાનપરાના રજપૂત યુવાનને ૪ અજાણ્યા શખ્સો મોડી રાતે બેભાન હાલતમાં મુકી ગયા બાદ મોત

૨૬ વર્ષના દેવુભા સાકરીયાના મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ મુળ આણંદપુર બાઘીના વતની

રાજકોટઃ આઠમની મોડી રાત્રે કિસાનપરામાં રહેતાં અને કિસાનપરાથી અન્ડરબ્રિજ તરફ જતાં રોડ પર ખોડિયાર રેસ્ટોરન્ટ નામે ધંધો કરતાં કારડીયા રજપૂત યુવાન દેવુભા રમેશભાઇ સાકરીયા (ઉ.૨૬)નું ભેદી રીતે મોત નિપજ્યું છે. મોડી રાતે ચારેક શખ્સો તેને બેભાન હાલતમાં હોટેલ પાસે મુકીને જતાં રહ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ, પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મુળ આણંદપર બાઘીના વતની દેવુભા રમેશભાઇ સાકરીયા ઘણા વર્ષથી કિસાનપરા-૪માં માતા-પિતા-બહેનો સહિતના પરિવારજનો સાથે રહે છે. તેમજ ઘર નજીક જ અન્ડર બ્રિજ અને કિસાનપરા  વચ્ચેના રોડ પર રેસ્ટોરન્ટ ચલાવતાં હતાં. રાત્રીના એકાદ વાગ્યા બાદ તેને કોઇ ચાર અજાણ્યા શખ્સો હોટેલ પાસે બેભાન મુકીને જતાં રહ્યા હતાં. પિતા રમેશભાઇને જાણ થતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયેલ. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

શરીર પર ઇજાના કોઇ નિશાન નથી. મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે. એ-ડિવીઝન પીએસઆઇ આર.વી. સાખરા વધુ તપાસ કરે છે.

(11:08 am IST)