Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

કામનાથ મહાદેવ મંદિરના સેવકોનું સન્માન

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા વર્ષો થયા નિસ્વાર્થ ભાવે શ્રી કામનાથ મહાદેવની વર્ણાગી (શોભાયાત્રા- ફૂલેકું)માં સેવા કરતા તેમજ સંસ્કૃત પાઠશાળા અને કામનાથ મહાદેવના ભકત પ્રિયવદનભાઈ કક્કડ તથા કામનાથ મહાદેવ મંદિરના સેવકોનું જાહેર સન્માન તાજેતરમાં શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા થયું હતું. જેમાં કે.ડી.કારિઆ, જે.ડી.ઉપાધ્યાય, કિશોરભાઈ કારિઆ, પ્રવીણભાઈ ગેરિયા, અજયભાઈ તથા રોહિતભાઈ કારીઆ, દિનકરભાઈ રાજદેવ, પુનીત ભજન વાળા દવેભાઈ, સાગર કારિઆ વિગેરે સહભાગી થયેલા. પ્રિયવદનભાઈ કક્કડ, ભોલા મહારાજ, લક્ષ્મીદાસભાઈ ચૌહાણ વિગેરેએ મોમોન્ટો આપેલ હતા.(૩૦.૨)

(3:40 pm IST)