Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

જંગલેશ્વરમાં ૧૬ વર્ષની મહેઝબીનને માતા સાથે ઝઘડો થતાં ગળાફાંસો ખાઇ આપઘાત

કારખાનામાં બંને કામે ગયા'તા ત્‍યાં ચડભડ થયા બાદ ઘરે આવી પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૫: જંગલેશ્વર શેરી નં. ૧૧માં રહેતી ૧૬ વર્ષની મહેઝબીન મુસ્‍તાકભાઇ બાંભણીયા (ઉ.૧૬) નામની બાળાએ સાંજે પંખામાં ચૂંદડી બાંધ ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ ભક્‍તિનગરમાં જાણ કરી હતી. આપઘાત કરનાર મહેઝબીનના પિતા હયાત નથી. પોતે બે બહેન અને એક ભાઇમાં મોટી હતી અને માતા શબનમબેન સાથે કારખાનામાં કામે જતી હતી.

ત્‍યાં ગત સાંજે મા દિકરી વચ્‍ચે કામ બાબચે ચડભડ થતાં મહેઝબીનને માઠુ લાગી ગયું હતું અને ઘરે આવી આપઘાત કરી લીધાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું.

(4:18 pm IST)