Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગોંડલ સંઘાથી સંપ્રદાયના ૭ મહાસતીજીઓનો કાલાવડ સંઘમાં ભવ્‍ય ચાતુર્માસ પ્રવેશ

સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.ના સાનિધ્‍યે કાલે : દિવ્‍ય ફાઉન્‍ડેશન દ્વારા નવકારશી તથા શ્રી સંઘ દ્વારા સંઘ જમણ યોજાશે

રાજકોટ : તા. ૨૫ : ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. શ્રી પારસમુનિ મ.સા. એવં ધ્‍યાન સાધક પુ. ગુરૂદેવશ્રી હસમુખમુનિ મ.સા. ના સુશિષ્‍ય સરલસ્‍વભાવી પૂ. ચેતનમુનિ મ.સા.ના મંગલ સાનિધ્‍યે કાલે તા. ૨૬ ને રવિવારે શ્રી કાલાવડ  વણિક જૈન  સંઘમાં ગોંડલ સંઘાણી સંપ્રદાયના ગાદીપતિ પૂ. નરેન્‍દ્રમુનિ મ.સા આજ્ઞાનુવર્તીની પૂ. જય -વિજય-કાન્‍ત ગુરુણી ના સુશિષ્‍યા કોકિલકંઠી પૂ. કિરણબાઇ મ.સ.ના સુશિષ્‍યા પૂ. જયશ્રીબાઇ મ.સ., પૂે હર્ષાબાઇ મ.સ., પૂ. ભારતીબઇ મ.સ.,પૂ જાગૃતિબાઇ મ.સ,પૂ હંસાબાળ મ.સ, પૂ.મીરાબાઇ મ.સ, પૂ. ભાવનાબાઇ મ.સ, આદિઠાણા સાતનો ચાતુર્માસ કલ્‍પ અર્થે ભવ્‍ય પ્રવેશનું આયોજન કરવામાં આવેલ છે. દિવ્‍ય સાધનાલય,પૂ. ગાંગજી, વીર ઋષિની ડેરીથી પ્રસ્‍થાન થશે. દિવ્‍ય સાધનાલય પર સવારે ૭ થી ૮.૩૦ નવકારશી નું આયોજન દિવ્‍ય ફાઉન્‍ડેશન દ્વારા રાખવામાં આવેલ છે. ત્‍યારબાદ પ્રસ્‍થાન સ્‍વાગત યાત્રા ચર્તુવેધ સંઘ સકિત જૈન વાડીમાં ધર્મસભામાં પરિવર્તિત થશે.

સમગ્ર સ્‍વાગત કાર્યક્રમ બાદ શ્રી કાલાવાડ વણિક જૈન સંઘ દ્વારા સંઘજમણ રાખવામાં આવેલ છે. સર્વ સાધર્મિકોએ શ્રી સંઘને સાધમિક ભકિતનો લાભ આપવા સંઘ પ્રમુખ પી.સી.મહેતાની યાદીમાં જણાવેલ છે.

(1:27 pm IST)