Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઘંટેશ્વરમાં એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલભાઇ ઓઝાનું હાર્ટએટેકથી મોત

રાજકોટ તા. ૨૫ : ઘંટેશ્વરમાં આવેલ અમી હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતા ઇમીટેશનના વેપારીનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ ઘંટેશ્વરમાં આવેલા અમી હાઇટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલભાઇ કિશોરભાઇ ઓઝા (ઉ.૩૬) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક રાહુલભાઇ બે ભાઇ - બે બહેનમાં નાના હતા. તેના મોટાભાઇ મુંબઇ રહે છે તે અપરણીત હતા. તે ઇમીટેશનનો ધંધો કરતા હતા.

આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. સાજીદભાઇ તથા અનુજભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:14 pm IST)