Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પાંચ વ્યાજખોરો સામે કડક કાર્યવાહીથી ભોગ બનેલા પરિવારે પોલીસની સરાહના કરી

ડીસીપી મનોહરસિંહ જાડેજાનું સન્માન પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ગઇકાલે ઍક સાથે પાંચ વ્યાજખોરો સામે પાસાનું શસ્ત્ર ઉગામી દાખલારૂપ કામગીરી કરી હતી. વ્યાજખોરો વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી અને વ્યાજખોરી સામે અંકુશ મેળવવા બદલ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતાં ફરિયાદીના પરિવારજનો દ્વારા તેઓને વ્યાજ ખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવી ન્યાય અપાવવા બદલ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ શ્રી મનોહરસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું છે. તેમજ શહેર પોલીસની આ કામગીરીની આ પરિવારે સરાહના કરી છે.

(3:09 pm IST)