Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

જંગલેશ્વરમાં નુરજહાંબેનને પુત્રવધુ અને તેના ભાઇએ ઢીકાપાટુ માર્યા

ભોમેશ્વરવાડીમાં માવતરે રહેતી અરફાના કાગળો લેવા આવી ને ઝઘડો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૫: જંગલેશ્વર-૭માં રહેતાં નુરજહાંબેન અયુબભાઇ કાઝી (ઉ.વ.૫૬)ને પુત્રવધૂ આરફાનાબેન આફતાબભાઇ કાઝી તથા તેના ભાઇ અતિકે ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગરમાં જાણ કરી હતી.

નુરજહાંબેનના સગા કૌશરબેનના કહેવા મુજબ નુરજહાંબેનના પુત્રવધૂ આરફાનાબેન કેટલાક સમયથી ભોમેશ્વરવાડીમાં તેના માવતરે રહે છે. ગઇકાલે તેણી જંગલેશ્વરમાં જ્ઞાતિના દાખલા સહિતના કાગળો લેવા તેણીના ભાઇ સાથે આવી હતી ત્યારે બોલાચાલી કરી મારમારી કરી હતી. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)