Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટ જેલમાં કેદી સુરેશે ભુખ હડતાલ કરતાં તબિયત બગડી

મુળ લીલીયાના સલડીના હત્યાના ગુનાના પાકા કામના કેદીને હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૫: સેન્ટ્રલ જેલમાં રખાયેલા પાકા કામના કેદી મુળ અમરેલીના લીલીયાના સલડી ગામના સુરેશ ધનજીભાઇ મકવાણા (ઉ.વ.૩૮)એ જેલમાં ભુખ હડતાલ કરતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં  હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. કેદી સુરેશે કહ્યું હતું કે પોતે હત્યાના ગુનાનો પાકા કામનો કેદી છે. અગાઉ ભાવનગર જેલમાં હતો. હાલમાં રાજકોટ જેલમાં છે. ૨૦૨૦માં તેણે અરજી ફરિયાદ કરી હોઇ તેની નકલ મળતી ન હોઇ જેથી ભુખ હડતાલ કરી હતી. તેના આક્ષેપો અંગે તપાસ થઇ રહી છે.

(12:50 pm IST)