Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં ફુલસ્કેપ ચોપડા વિતરણ

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય સદર બજાર ખાતે ધો.૯ થી ૧૨ માં અભ્યાસ કરતી ૪૦૦ વિદ્યાર્થીની બહેનોને વિનામુલ્યે ફુલસ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ ચોપડાની સેવા અંકિત એસ્ેટવાળા દિલીપભાઇ સોમૈયા તરફથી કરવામાં આવેલ. શાળાની વિદ્યાર્થીનીઓને ૨૫૦૦ જેટલા ફુલસ્કેપ ચોપડાની સહાય કરેલ. આ બદલ ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, શાળાના આચાર્ય ભરતસિંહ પરમાર અને સ્ટાફગણે કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

(3:33 pm IST)