Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બાબરીયા કોલોની પાસે કવાટરમાં વિજકરંટ લાગતા મહેશ દેવીપૂજકનું મોત

સગીરે લોખાંડનો દરવાજો ખોલતા વીજવાયરને અડીજતા શોટ લાગ્યો

રાજકોટ, તા.૨૫: વાટીકા મેઇન રોડ પર બાબરીયા કોલોની પરમેશ્વર રપવારીયા કવાટરમાં વીજકરંટ લાગતા દેવીપૂજક સગીરનું મોત નિયજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ બાબરીયા કોલોની પાસે પરમેશ્વર શેરી નં. ૩ માં રહેતો. મહેશભાઇ ચારણીયા(ઉ.વ.૧૭)ગઇકાલે પોતાના ઘરે હતો. ત્યારે તેણે ઘરનો લોખંડનો દરવાનો ખોલતા દરવાજો વીજ વાયરને અડી જતા મહેશને શોટ લાગતા બે ભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિયજયું હતું. મૃતક મહેશ છ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા નંબરનો હતો. તેના પિતા શાકભાજી વેંચે છે તે પણ તેની સાથે શાકભાજી વેંચતો હતો. આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ બી.બી. કોડીયાતર અને રાઇટર હિરેનભાઇ તથા હિતેષભાઇ કાર્યવાહી કરી હતી.

(3:44 pm IST)